20210825 092405 scaled 1

આ શિવ મંદિર ગુફામાં વિશાળ પથ્થરને સ્પર્શ કરવાથી આવે છે ડમરુ જેવો અવાજ, માનવામાં આવે છે શિવજીનો ચમત્કાર

ધાર્મિક

હિમાચલની પહાડી પર સ્થિત છે એક શિવ ગુફા, ત્યાં વિશાળ પથ્થરને થપથપાવવા પર ડમરું જેવો અવાજ આવે છે.

શ્રાવણના આ પવિત્ર મહિનામાં, આજે અમે તમને એવી શિવ ગુફા વિશે જણાવી રહ્યા છીએ, જે હિમાચલની પહાડી પર સ્થિત છે. આ ગુફાના મુખ્ય પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર છે. તેને થપથપાવવાથી ડમરુ જેવો અવાજ આવે છે.

આ ગુફા સોલનથી લગભગ 7 કિમી દૂર દેવઠિ રોડ પર પટ્ટાઘાટ ગામ પાસે શિવ ઢાંક માં સ્થાપિત છે. આ ગુફાના મુખ્ય પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર છે. તેને થપથપાવવાથી ડ્રમ જેવો અવાજ આવે છે. આજ સુધી આ અવાજનું રહસ્ય વણઉકેલાયેલું છે. દૂર -દૂરથી ભક્તો આ ચમત્કાર જોવા માટે અને શિવજી ના દર્શન કરવા માટે આવે છે.

2 કિમી નો પગદંડી રસ્તો છે. સોલનથી આશરે 7 કિલોમીટરનો પ્રવાસ બસ થી અને 2 કિલોમીટર ના દુર્ગમ માર્ગે ચાલીને ભક્તો ભમ ભમ ભોલેના નાદ સાથે શિવ ઢાંક નામના સ્થળે પહોંચે છે. જ્યાં પ્રાચીન ગુફામાં ભગવાન શિવ શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. ગુફાની છત પરથી શિવલિંગ પર પાણી પડે છે.

દરેકની માનતા પૂરી થાય છે. સ્થાનિક લોકો ભગવાન શિવને ઇસ્ટ દેવતા તરીકે પૂજે છે. આ વિસ્તાર ની નજીકના ગામોના લોકો દૂધ અને ઘી લઇ ને આવે છે જેનાથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત ભગવાન પાસે જે પણ માનતા માને છે તે ચોક્કસપણે પરિપૂર્ણ થાય છે.

અહીંના સ્થાનિક લોકો દ્વારા મહાશિવરાત્રી ના દિવસે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માં આખો મહિનો ભક્તોનો મોટો ધસારો રહે છે. દરેક વ્યક્તિ શિવલિંગની ઝલક મેળવવા ઇચ્છે છે.

કેવી રીતે આ સ્થાને પહોંચવું? દેશના અન્ય મોટા શહેરોથી સોલન માટે નિયમિત કોઈ ફ્લાઇટ્સ નથી. અહીંથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. અહીંથી રોડ દ્વારા સરળતાથી સોલન પહોંચી શકાય છે. સોલન ચંદીગઢ એરપોર્ટથી માત્ર 66 કિલોમીટર દૂર છે.

સોલન રેલવે સ્ટેશન મુખ્ય રેલ માર્ગો સાથે પણ જોડાયેલું છે. અહી દિલ્હી, ચંદીગઢ ભોપાલ, અમદાવાદ વગેરે સ્થળોથી સરળતાથી પહોંચી શકાય છે. દેશના કોઇ પણ મોટા શહેરથી હિમાચલ આવીને તમે સરળતાથી સોલન પહોંચી શકો છો.