મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ધન કમાવવાની ઇચ્છા હોય છે. ધન કમાવવા માટે વ્યક્તિ સખત મહેનત કરતા હોય છે. અત્યારના સમયમાં વ્યક્તિ જીવનને સુખમય બનાવવા માટે ખૂબ જ મહેનત કરતો હોય છે. ઘણા લોકો કેટલાક ચમત્કારિક ઉપાયો પણ કરતા હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને સિંદૂર અને ફટકડીનો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર હનુમાનજી મહારાજનો દિવસ માનવામાં આવે છે. શનિવારના દિવસે હનુમાનજી મહારાજની વિશેષ આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
મિત્રો સિંદૂરથી સ્ત્રીઓ પોતાની માંગ ભરે છે અને એવું માનવામાં આવે છે કે સિંદૂરથી પતિના આયુષ્યમાં વધારો થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સિંદૂરનો ઉપયોગ પૂજા આરાધના માં પણ કરવામાં આવે છે
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સિંદૂર અને ફટકડીનો આ ઉપાય શનિવારના દિવસે કરવાથી જીવનમાં આવનાર દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે. કોઈપણ વ્યક્તિ તેમના જીવનમાં પ્રગતિ મેળવવા માંગે છે, ઊંચા પદની પ્રાપ્તિ કરવા માંગે છે અથવા તો પોતાના કાર્યમાં સફળતા મેળવવા માંગે છે, તેવા વ્યક્તિઓએ સિંદૂર અને ફટકડીનો આ ચમત્કારિક ઉપાય શનિવારના દિવસે અવશ્ય કરવો જોઈએ.
વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા અનુસાર આ ઉપાય કરવા માટે પીપળાના વૃક્ષનું એક પાન લેવાનું છે. ત્યાર બાદ શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના પાનમાં એક નાનો ફટકડીનો ટુકડો અને થોડું સિંદૂર મુકવાનું છે. ત્યારબાદ આ પાન ને એક લાલ દોરા વડે બાંધી દેવું જોઈએ.
આ પીપળાના પાનને પીપળાના વૃક્ષ નીચે ખાડો ખોદીને દબાવી દો. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય શનિવારના દિવસે કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય કરવાથી તમારી બધી જ મુશ્કેલીનો અંત થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ આ ઉપાય કરીને તમે પાછા ઘરે આવો છો ત્યારે પાછા વળીને ન જોવું જોઈએ. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે અને ધન કમાવવાના નવા અવસરો મળે છે. આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
વાસ્તુશાસ્ત્ર જણાવ્યા અનુસાર ફટકડી અને સિંદૂર થી ઘરમાં આવતી નકારાત્મક ઊર્જાને રોકી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક લાલ કપડામાં નાની ફટકડી અને થોડું સિંદૂર ઘરના મુખ્ય દરવાજામાં બહારની તરફ પોટલી બનાવીને બાંધી દેવું જોઈએ.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈપણ જાતની ખરાબ ઊર્જા પ્રવેશ કરશે નહી. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને વૈભવમાં વધારો થાય છે.