મિત્રો શા માટે સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની મનાઈ હોય છે તો મિત્રો આજે અમે તમને આજના આ લેખમાં તમને જણાવીશું કે સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની કેમ મનાઈ હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં દરેક વસ્તુનું ખાસ મહત્વ હોય છે જો તે છોડ હોય ઝાડ હોય કે પછી કોઈ ફળ હોય તેનું વિશેષ મહત્વ હોય છે,
મોટાભાગની દરેક વસ્તુ કોઈને કોઈ ધાર્મિક રીતે જોડાયેલી હોય છે નાળિયેરને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિ શુભ કામ કરે છે ત્યારે સૌથી પહેલા નાળિયેર વધેરી ને તેનો શુભારંભ કરે છે હિન્દુ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે,
જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની સાથે પૃથ્વી પર ત્રણ વસ્તુ લઈને આવ્યા હતા. જેમાં લક્ષ્મીજી નારિયેળ નું વૃક્ષ અને કામધેનુ હતા. આ કારણે જ નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે એટલે શ્રીફળની લક્ષ્મી અને વિષ્ણુના ફળ તરીકે માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે તે નાળિયેર માં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે માન્યતા છે કે નારિયેળ માં બનેલ ત્રણ આંખો વિષ્ણુ ના રૂપમાં જોવામાં આવે છે આ સાથે જ શ્રીફળને ઔષધીય રૂપમાં પણ જોવામાં આવે છે આપણે ત્યાં એવી માન્યતાઓ છે કે ઇષ્ટદેવને શ્રીફળ ચઢાવવાથી દરેક માન્યતા પૂર્ણ થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં શ્રીફળ નું અત્યંત મહત્વનું સ્થાન છે. આપણી સંસ્કૃતિમાં શ્રીફળ ના બલિદાન વગર પવિત્ર કામ અધુરું માનવામાં આવે છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ શ્રીફળ નથી વધેરતી કારણ કે શ્રીફળ ને બીજ રૂપ ગણવામાં આવે છે પ્રજનનનું કારણ માનવામાં આવે છે,
એટલે કે શ્રીફળ ને પ્રજનન ક્ષમતા સાથે જોડવા માં આવેલું છે. આ કારણથી જ સ્ત્રીઓને નારિયેળ વધારવાની મનાઈ છે.
જ્યારે આપણે જોયું હશે કે શ્રીફળ વધેરતા હતા તેમાંથી આખું બીજી નીકળે છે તો તે પરિણીત મહિલાને ખવડાવામાં આવે છે અને આ ઉપાયથી પણ ઘણી સ્ત્રીઓ એ સંતાનને જન્મ આપ્યો છે,
અને આ સાથે જ પુરુષો દેવી-દેવતાઓને શ્રીફળ અર્પણ કરે છે અને તેમાંથી નીકળેલું પાણી શિવજીને અર્પણ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રીફળને ખૂબ જ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો ભારતમાં પૂજા પાઠ નું ખૂબ જ મહત્વ છે,
શ્રીફળની સાથે સાથે ભારતીય પૂજામાં કપૂરનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે હિન્દુ ધર્મમાં કપૂર ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની પૂજા અને શુભ કામમાં કરવામાં આવે છે તેનો ઉપયોગ ઘર મંદિર ની આરતી થી લઈને મોટા-મોટા યજ્ઞો માં કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપૂર સળગાવવા થી,
નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જો કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં કપૂર નો દીવો સળગાવે છે તો તેના ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ રહે છે જો ઘરની સ્ત્રીઓ કપૂરના રાતે અમુક કેટલાક ઉપાયો કરે છે તો હંમેશાં ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ બની રહે છે,
સૌથી પહેલાં તમે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક, ઉર્જા ને પ્રવેશ અટકાવવા માટે ગંગા ઘરમાં થોડુંક વાટેલું કપૂર નાખી ને ઘરના મુખ્ય દરવાજા પર તેનો છંટકાવ કરો. મિત્રો તમારા અથાગ પ્રયત્નો કરવા છતાં તમારા કામમાં વારંવાર અડચણ આવી રહી છે તો તેના માટે તમે શનિવારના દિવસે નાહવાના પાણીમાં કપૂરનું તેલ ઉમેરીને સ્નાન કરો,
આ ઉપાય કરવાથી તમારા બધા જ બગડેલા કામ સુધારવા લાગશે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે કપૂર અને સાકરનું દાન કરવાથી ખૂબ જ શુભ પરિણામ મળે છે. જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહી રહે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ બની રહેશે.
જો મિત્રો તમે તમારા બેડરૂમમાં નિયમિત રૂપે કપૂર સળગાવો તો આમ કરવાથી તમામ પ્રકારની બીમારીઓ અને અડચણો નાશ થશે. મિત્રો હિંદુ ધર્મના દરેક ઘરમાં સૂર્યાસ્ત સમય દીવો કરવામાં આવે છે આ સમયે મિત્રો કપૂર નો દીવો સળગાવીને આખા ઘરમાં ફેરવવો જોઇએ મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે ઘર-પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.