સાંજ પડ્યા પછી ભૂલથી પણ પાડોશીઓને ના આપતા આ વસ્તુઓ, નહીંતર બની જશો કંગાળ, માતા લક્ષ્મી પણ સાથ છોડી દેશે.
દોસ્તો તમે બધા જાણતા હશો કે આપણા હિન્દુ ધર્મમાં દાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી દેવી-દેવતાઓ પણ ખુશ થાય છે અને આપણા પર આર્શીવાદ વરસાવે છે. જોકે તમારે સૂર્યાસ્ત પછી એવી કેટલીક ચીજ વસ્તુઓ છે, જેને દાનમાં ભૂલથી પણ આપવી જોઈએ નહીં. કારણ કે તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
જો તમે ભૂલથી પણ આ વસ્તુઓ નજીકના વ્યક્તિને દાનમાં આપો છો તો તમારા પરિવાર પર ખૂબ મોટી મુશ્કેલી આવી શકે છે અને તમે કંગાળ પણ બની શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ કઈ છે, જેને સૂર્યાસ્ત પછી દાનમાં આપવી જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે ખોટા સમયે કરવામાં આવેલું દાન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સાથે ઘરમાં દુઃખ અને દરિદ્રતાનું પણ આગમન થાય છે. તેથી સૂર્યાસ્ત સમય તમારે ભૂલથી પણ આ પ્રકારનું દાન કરવું જોઈએ નહિ, ખાસ કરીને તમારા નજીકના પાડોશીઓને આ વસ્તુઓ આપવી જોઈએ નહીં.
સામાન્ય રીતે દરેક વ્યક્તિ દૂધનો ઉપયોગ કરતો હોય છે અને દૂધ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી તમારે સાંજે ભૂલથી પણ દૂધને પાડોશીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિને આપવું જોઈએ નહીં. કારણ કે સાંજે દુધ આપવાથી તમારા ઘરમાં રહેલા માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે.
વાસ્તુ અનુસાર દહીને શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ સાથે દહીં પૈસા નું આગમન પણ સૂચવે છે. તેથી તમારે દહીને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને દહી આપવું જોઈએ નહીં. જો તમે તેને પાડોશીઓને આપી દો છો તમારા જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે.
દરેક વ્યક્તિને ડુંગળી અને લસણ નો ટેસ્ટ ભોજનમાં ખૂબ જ પસંદ કરતો હોય છે પરંતુ તમારે તેને સાંજે દાન કરવા પર સંયમ રાખવો જોઈએ. જો તમે આ બન્ને વસ્તુ સાંજે દાન કરો છો અથવા પાડોશી લોકોને આપો છો તો તેનાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.