મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય મંડળના બધા જ ગ્રહો પોતાની ઊર્જા સૂર્ય પાસેથી જ પ્રાપ્ત કરે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આપણી કુંડળીમાં કોઈ ના કોઈ ગ્રહના પ્રભાવને કારણે આપણા કાર્ય સફળ કાંતો અસફળ થતા રહે છે. મિત્રો આપણે અનેક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ કે આપણી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને રવિવારે ખાસ કરીને કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું.
મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં દરેક દિવસ નું કંઈક ને કંઈક અલગ મહત્વ હોય છે જેમકે ગુરુવારે બૃહસ્પતિ, શુક્રવારે શુક્ર દેવની અને શનિવારે શનિ મહારાજની વિશેષ ઉપાસના કરીએ છીએ. પરંતુ વાત જ્યારે રવિવારે આવે તો આપણે બધા રવિવાર છુટ્ટી નો દિવસ માનીને આરામ કરવા લાગી જઈએ છીએ અને એવા કાર્ય કરીએ છીએ જે શાસ્ત્રોથી વિરુદ્ધ હોય છે. પરંતુ રવિવારે આરામ કરવાનો દિવસ નથી પરંતુ રવિવાર ને સૂર્યદેવના દિવસ ગણવામાં આવે છે.
પરંતુ મિત્રો રવિવારના દિવસે આપણે એવા અનુચિત કાર્ય કરીએ છીએ જે શાસ્ત્રોમાં ખૂબ જ અનુચિત માનવામાં આવે છે અને જ્યારે સૂર્યદેવ આપણી કુંડળીમાં તેની દશા બદલે છે ત્યારે ખૂબ જ મોટી મુશ્કેલી ઓ આપણા જીવનમાં આવી શકે છે પરંતુ મિત્રો શાસ્ત્રોમા જણાવ્યા અનુસાર કેટલાક કાર્યો છે જે તમે રવિવારના દિવસે કરો છો તો સૂર્ય મહારાજ તમારા પર ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને આના લીધે જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ અને પરેશાની નો સામનો કરવો પડે છે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પીપળાના વૃક્ષ પર જળ ન ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવાથી અનિષ્ટ થાય છે જો તમે ઇચ્છો તો આ દિવસે પીપળાના વૃક્ષની પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવી શકો છો અને ધૂપ અગરબત્તી પણ કરી શકો છો પરંતુ ભૂલથી પણ રવિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ ન કરવું જોઈએ.
મિત્રો દરેક વ્યક્તિ રવિવારના દિવસે આરામ નો દિવસ સમજીને મોડી સવાર સુધી સૂતા રહે છે જો તમારે તમારા જીવનમાં સૂર્યદેવને પ્રબળ બનાવવા છે તો રવિવારના દિવસે સૂર્ય થી પહેલા ઊઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા બાદ સૂર્યદેવને તાંબાના પાત્રમાં કુમકુમ અને ચોખા નાખી ને જળ અર્પણ કરવું અને સાચી શ્રદ્ધાથી સૂર્ય દેવની ઉપાસના કરો. મિત્રો આ ઉપાય રવિવારના દિવસે કરવાથી સૂર્યદેવ ના આશીર્વાદ તમારા પર બની રહે છે.
મિત્રો રવિવારના દિવસે પોતાના વાળ ભૂલથી પણ ન કાપવા અને માથામાં તેલ પણ ન લગાવો સૂર્યદેવને પોતાની રાશિમાં પ્રબળ લાવવા માટે સૂર્યદેવને તલનું તેલ અવશ્ય ચડાવો. જો મિત્રો તમે પણ રવિવારના દિવસે આ ઉપાય કરો છો અને ભવિષ્યમાં આવનાર અનેક મુશ્કેલીઓ માંથી તમે છુટકારો મેળવી શકો છો.
મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં કોઈપણ દેવ અને દેવી દેવતા ને મસૂરની દાળ ચડાવવામાં નથી આવતી શાસ્ત્રોમાં મસૂરની દાળને રવિવારે ન ખાવાની સલાહ આપવામાં આવી છે અને રવિવાર સૂર્યદેવની ઉપાસનાનો દિવસ હોય છે એટલા માટે સૂર્ય પોતાની રાશિમાં પ્રબળ બનાવવા માટે એટલા માટે રવિવારના દિવસે મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ.
મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે કાંદા, લસણ અને અદરક ને રવિવારના દિવસે ભોજન ન લેવા જોઈએ. જો તમારી કુંડળીમાં પણ સૂર્ય દોષ લાગ્યો છે. તો આ સમયમાં તમારે પણ કાંદા, લસણ અને આદુ નો ત્યાગ કરવો જોઈએ આનાથી તમારી કુંડળીમાં સૂર્ય દેવ પ્રબળ બની જશે જો મિત્રો તમે પણ સંતાનસુખ ની પ્રાપ્તિ ઇચ્છો છો અને સૂર્ય જેવો તેજસ્વી સંતાન ઈચ્છો છો તો રવિવારના દિવસે સૂર્યનારાયણ ના ઉપવાસ કરો અને સાંજે મીઠા વગરનું ભોજન જમો. મિત્રો આ ઉપાય તમે સંતાન પ્રાપ્તિ માટે કરી શકો છો.
મિત્રો રવિવારના દિવસે માછલીનું સેવન કરવું એ ખૂબ જ અનિષ્ટ માનવામા આવે છે આમ તો માંસ આહારનું સેવન શાસ્ત્રોમાં અનુચિત બતાવવામાં આવ્યું છે પરંતુ જે લોકો આનું સેવન કરે છે તેવા લોકોએ ભૂલથી પણ રવિવારના દિવસે માંસાહારનુ સેવન ન કરવું જોઈએ. મિત્રો કહેવાય છે કે માછલી ને સૂર્યદેવની ઉપાસક માનવામાં આવે છે એટલા માટે રવિવારના દિવસે ભૂલથી પણ આનું સેવન ન કરો.
જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.