મિત્રો દરેક વ્યક્તિને પૈસાની ખુબ જરૂર પડતી હોય છે. મિત્રો અત્યારના સમયમાં ધન કમાવવા માટે વ્યક્તિઓ સખત મહેનત કરતા હોય છે. સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિને તેમની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી.
જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ઉપાયો કરવાથી વ્યક્તિનને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. મિત્રો આજના લેખમાં અમે તમને બુધવારના દિવસે કરવામાં આવતા એવા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર આર્થિક સમસ્યાઓ દૂર થશે. મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દેવી દેવતાઓની પૂજા આરાધના માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ચોખાનો ઉપયોગ થતો હોય છે. કોઈપણ પૂજામાં હળદર, અબીલ, ગુલાલ, કંકુ જેવી અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે.
જ્યોતિષશાસ્ત્રમાં અક્ષતને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની દરેક પૂજા પાઠ અક્ષત વગર અધુરી માનવામાં આવે છે. મિત્રો આજના લેખમાં અમે તમને ચોખાના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ,
જે ઉપાયો બુધવારના દિવસે કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. મિત્રો બુધવારના દિવસે આ ઉપાય કરવા માટે સવારે સૌથી વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.
ત્યારબાદ સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઇએ. ત્યારબાદ તમારા ઘર મંદિરમાં આસન પાથરીને બેસી જાઓ. મિત્રો આ ઉપાય કરવા માટે અક્ષતના 21 દાણા હળદરથી પીળા કરીને તમારે લેવાના છે. ત્યારબાદ એક લાલ કલરના કપડામાં અક્ષત માં 21 દાણા લઈને તેની પોટલી બનાવી લેવાની છે.
મિત્રો તૈયાર મરઘા પોટલીને તમારા ઘર મંદિરમાં માતા લક્ષ્મીજી સમક્ષ પૂજામાં રાખી દેવાની છે. મિત્રો ત્યારબાદ માતા લક્ષ્મીની શુદ્ધ દેશી ઘી નો દીવો કરી વિધિવત રીતે પૂજા કરવાની છે. ત્યારબાદ લાલ કલરની રોટલી પર હળદર વડે તિલક કરીને આ પોટલીને તમારા ઘરમાં ધન રાખવાની જગ્યાએ તિજોરીમાં મૂકી દેવી જોઈએ.
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે. આ ઉપાય કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જશે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે એક મુઠ્ઠી ચોખા તમારા ઈષ્ટદેવની પૂજા આરાધના કર્યા પછી વહેતા જળમાં અર્પણ કરવાથી તમારા ઉપર રહેલું કર્જ દૂર થાય છે.
આ ઉપાય કરવાથી તમારા અટકેલા પૈસા પાછા આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ચોખાના આ ઉપાયો બુધવારના દિવસે કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને વૈભવ બની રહેશે. બુધવારના દિવસે સવારે વહેલા ઊઠીને ગાય માતાને મીઠા ચોખા ખવડાવવાથી વ્યવસાયમાં પ્રગતિ જોવા મળે છે.