દરેક વ્યક્તિના જીવનની સ્થિતિ સતત બદલતી રહે છે. કોઈના જીવનમાં સમય એક સરખો રહેતો નથી. વ્યક્તિના જીવનમાં ક્યારેક દુ: ખ તો ક્યારેક સુખ આવે છે. જીવનમાં તડકા અને છાંયાની જેમ ચડતી અને પડતી દરેક વ્યક્તિએ જોવી જ પડે છે.
તેમાં પણ જ્યારે ગ્રહોની દશા બદલાય છે ત્યારે તેની અસર દરેક રાશિના જાતકના જીવન પર થાય જ છે. આ અસરના કારણે વ્યક્તિનું પારિવારીક જીવન, કારર્કિદી, આર્થિક સ્થિતિ, સામાજિક જીવન બધું જ બદલી જાય છે.
જ્યારે આ ગ્રહ દશા સારી હોય છે ત્યારે જીવનમાં સકારાત્મક ફેરફાર થાય છે અને જ્યારે ગ્રહ દશા વિપરીત હોય છે ત્યારે જીવનમાં કષ્ટદાયી સમય આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી જ ગ્રહ દશાની અસર કેટલીક રાશિ પર થવાની છે. આ દશામાં કેટલીક રાશિના લોકોનું જીવન સુધરી જવાનું છે. આ રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે અને તેમન ઘરમાં માતા લક્ષ્મી કંકુ પગલા કરશે. આ રાશિના લોકો જો અત્યાર સુધી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ હવે દુર થશે.
આગામી સમયમાં જે રાશિના જાતકો ભાગ્યવાન બનવાના છે તેમના વિશે વાત કરીએ તો તેમની વર્ષો જૂની સમસ્યા કે ઝઘડા પણ ઉકેલાઈ જશે. માતા લક્ષ્મી આ રાશિના લોકો પર ચાર હાથે ધન વર્ષા કરશે. આ રાશિના લોકો સામાજિક ક્ષેત્રે પ્રખ્યાત થશે. તેમનું માન-સન્માન પણ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.
આ સમય દરમિયાન તમારા વ્યવહારમાં સકારાત્મક સુધારો આવશે. તમારા કાર્યો યોજના અનુસાર પૂર્ણ થશે. આ સમય દરમિયાન નકારાત્મક કાર્યોથી અને વિચારોથી બચવું. જીવનશૈલી બદલવાની શક્યતા છે. આ સમય દરમિયાન જીવનની કષ્ટકારી સ્થિતિ દુર થવા લાગશે અને ચારે તરફથી લાભ જ લાભ મળશે.
આ સમય નવા કાર્યની શરુઆત માટે ઉત્તમ છે. આ સમય દરમિયાન થનાર આર્થિક લાભથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. તમારી ધારી દરેક યોજના પુરી થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેના કારણે પરિવારમાં પણ શાંતિનું વાતાવરણ રહેશે.
આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. તમે તમારા જીવનમાં નવીનતાનો અનુભવ કરશો. આ સમય દરમિયાન હાથમાં લીધેલું દરેક કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે. વિદેશ જવા ઈચ્છતા લોકોને પણ સારી કંપનીમાંથી ઓફર મળશે. કારર્કિદી માટે નિર્ણય લેવાનો ઉત્તમ સમય છે.
પ્રેમ સંબંધો માટે પણ સારો સમય છે, સારા પરિણામ મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદ ઘર પરિવાર પર વરસતા રહેશે. આ બધું જ જે રાશિના લોકો સાથે થવાનું છે તેમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોનો સમાવેશ થાય છે.