મિત્રો આજના સમયમાં સફળતા મેળવવા માટે વ્યક્તિઓ અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની માન્યતા પ્રમાણે અલગ અલગ પ્રયોગ કરતા હોય છે. મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં સફળતા અને નિષ્ફળતા આવતી હોય છે. અત્યારના સમયમાં સફળતા મેળવવા માટે વ્યક્તિઓ અથાગ મહેનત કરતા હોય છે.
મોટા ભાગના વ્યક્તિઓ સફળતા મેળવવા માટે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. મિત્રો આજના લેખમાં અમે તમને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાળા દોરાનો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
શનિવારની મહા સાતમના દિવસે આ ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. શનિવારના દિવસે કાળો દોરો એક એવી જગ્યાએ બાંધી દેવાથી તમારા જીવનમાં અઢળક ધન આવશે. આ ઉપાય કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે.
મિત્રો એવું માનવામાં આવે છે કે કાળો દોરો વ્યક્તિને શરીરના કોઈપણ અંગ ઉપર બાંધવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળો દોરો શરીરના કોઈપણ અંગ ઉપર બાંધવાથી નકારાત્મક વિચારો આવતા નથી અને વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
દરેક વ્યક્તિએ પોતાના શરીર પર કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. કાળો દોરો બાંધવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હાલના સમયમાં કાળા દોરાનો ખૂબ જ મહત્વ છે. કાળો દોરો બાંધવાથી આપણા સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના ફાયદા થાય છે.
શનિવારનો દિવસ હનુમાનજી મહારાજનો દિવસ માનવામાં આવે છે. શનિવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. શનિવારના દિવસે કાળો હનુમાનજી મહારાજના ચરણોમાંથી સિંદૂર લગાવીને હાથના કાંડે બાંધવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે.
મિત્રો આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે સાંજના સમયે હનુમાનજી મહારાજના મંદિરે જઈને હનુમાનજી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ. ત્યાર પછી હનુમાનજી મહારાજના ચરણોમાં થી સિંદૂર લઈને કાળા દોરા પર લગાવી દેવું જોઈએ.
સિંદુર લગાવ્યા પછી કાળા દોરામાં સાત ગાંઠ મારવાની છે. ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં આ કાળા દોરાને રાખી દો. મિત્રો ત્યારબાદ હનુમાનજી મહારાજને તેલનો દીવો કરવો જોઈએ. ત્યાર પછી હનુમાનજી મહારાજની વિધિવત રીતે પૂજા આરાધના કરીને તમારી બધી જ મનોકામના વર્ણવાની છે.
તમારી જે કોઈપણ ઈચ્છા હોય તે હનુમાનજી મહારાજને કહેવી જોઈએ. ત્યારબાદ કાળો દોરો તમારા ઘરના મુખ્ય દરવાજે બાંધી દેવાનો છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.